બાળપણના સહાધ્યાયીઓના હસ્તે પુસ્તક વિમોચન. આજથી ત્રણ દાયકા અગાઉ મારી સાથે રાજકોટની શ્રી કે.જે.કોટેચા સ્કૂલમાં અભ્યાસ કરનાર 26 મિત્રોનું ગેટ ટુ ગેધર શનિવાર, 14 નવેમ્બર, 2015 અને બાળદિન નિમિત્તે રાજકોટના રિજન્સી લગૂન રિસોર્ટમાં યોજાયું હતું. આ મિત્રોના હાથે મારાં બીજા પુસ્તક 'તારે મન મારે મન'નું વિમોચન થયું હતું. આ કાર્યક્રમમાં દોસ્તીના દાવે જાણીતા લેખક Jay Vasavada હાજર રહ્યા હતા. જયે દોસ્તી વિશે દિલથી વાતો કરી જે તમામને સ્પર્શી ગઈ. થેંક્યુ જય. 'વાચા' પછીનું મારું બીજું પુસ્તક 'તારે મન મારે મન' નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયું છે.
Book is available online, here are links,
http://www.amazon.in/dp/9351981142
http://www.dhoomkharidi.com/tare-man-mare-man-gujarati-book






No comments:
Post a Comment